ગુજરાત વિદ્યાસહાયક ભરતી ૨૦૨૬: ૧૧,૦૦૦ જગ્યાઓ માટે મોટી જાહેરાત :
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે એક ખુબ જ મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ ૧ થી ૫ (ગુજરાતી માધ્યમ) માટે વિદ્યાસહાયકોની ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ભરતીની સામાન્ય માહિતી
- પદનું નામ: વિદ્યાસહાયક (વર્ગ-૩)
- વિભાગ: ધોરણ ૧ થી ૫ (પ્રાથમિક વિભાગ)
- માધ્યમ: ગુજરાતી
- જાહેરાત ક્રમાંક: ૦૧/૨૦૨૬
- કુલ અંદાજિત જગ્યાઓ: ૧૧,૦૦૦
મહત્વની તારીખો
ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સમયગાળાનું ધ્યાન રાખવાનું રહેશે:
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૧૫/૦૪/૨૦૨૬ (સવારે ૧૨:૦૦ કલાકથી)
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૪/૦૪/૨૦૨૬ (બપોરે ૧૫:૦૦ કલાક સુધી)
- સ્વીકાર કેન્દ્ર પર અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ: ૨૪/૦૪/૨૦૨૬ (સાંજે ૧૭:૦૦ કલાક સુધી)
લાયકાત અને અન્ય વિગતો
- TET-૧ પાસ ઉમેદવારો: આ ભરતી માટે TET-૧ પરીક્ષા પાસ હોવી અનિવાર્ય છે.
- D.El.Ed. ના વિદ્યાર્થીઓ: જે ઉમેદવારો હાલ D.El.Ed. ના છેલ્લા વર્ષમાં છે અને TET-૧ પાસ છે, તેઓ પણ અરજી કરી શકશે. તેમનું પરિણામ આવ્યા બાદ માર્કશીટ અપડેટ કરવાની તક આપવામાં આવશે.
- અનામત: દિવ્યાંગ ઉમેદવારો માટે નિયમ મુજબ ૪% જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.
- જિલ્લાવાર જગ્યાઓ: હાલમાં કુલ જગ્યાઓ જાહેર કરાઈ છે. જિલ્લાવાર અને શાળાવાર ખાલી જગ્યાઓની વિગતો બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવશે.
અરજી પ્રક્રિયા
લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ https://dpegujarat.in પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. વેબસાઈટ પર વયમર્યાદા, પગાર ધોરણ અને અન્ય સૂચનાઓ વિગતવાર વાંચી લેવી.
સ્થળ: ગાંધીનગર
સૌજન્ય: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
આ માહિતી વધુમાં વધુ ઉમેદવારો સુધી પહોંચાડો જેથી કોઈ તક ચૂકી ન જાય.

